નોકરી ગુમાવવાનું આજના દિવસોમાં સામાન્ય બન્યું છે, તે તણાવગ્રસ્ત અનુભવ છે અને લોકો સામાન્ય રીતે ગુસ્સો, હતાશા અને અસહાયતાનો અનુભવ કરે છે અને હતાસામાં ખરી પડે છે. જો તેમને ઝડપથી બીજી નોકરી ન મળે અથવા જો તેમને પ્રેરણા આપવામા ન આવેતો હતાશા જન્મે છે. નોકરી ગુમાવ્યા પછીની બે રોજગારી દ્વારા તેઓ સ્વમાન અને હેતુલક્ષી સમજણ ગુમાવી શકે છે. આ એવો સમય છે જ્યારે તેમને તેમનું મનોબળ જાળવી રાખવાની અને તેને મજબુત કરવાની જરૂર હોય છે.
નોકરી ગુમાવવાની અસરોની સમજણ
નોકરી એક એક આવશ્યક બાબત છે જે આપણને જીવન, અર્થ, હેતુ અને માળખું આપે છે. તે સમાજ અને આપણે આપણી જાતને કેવી રીતે જોઇએ છીએ તેના પર અસર કરે છે.
નિયમિત નાણાંકિય આવક ગુમાવવાની બીજી બાજુ તમાં અન્ય વિવિધ પરિસ્થિતિઓનો પણ આપણે સામનો કરવો પડે છે.
1. વ્યક્તિ તે કે તેણીની વ્યવસાયિક ઓળખ ગુમાવે છે.
2. આવક ન હોવાની સાથે સાથે તેમાં સલામતીની લાગણી પણ હોતી નથી.
3. સામાજિક નેટવર્કને અસર થાય છે.
4. નિયમિત ક્રમ અસ્તવ્યસ્ત થાય છે.
5. તે સ્વમાન અને આત્મવિશ્વાસનાં સ્તર પર વિપરીત અસરો કરે છે.
6. વ્યવસાયિક ઓળખાણ ખોવી પડે છે.
નોકરી ગુમાવ્યા પછી હતાશા ઘણી રીતો દ્વારા નિયંત્રિત કરી શકાય છે અને વાસ્તુશાસ્ત્ર આવી એક પદ્ધતિ છે. જ્યારે તમે તમારા ઘરમાં નવી નોકરી શોધી ર્હયાં છો ત્યારે તમે આત્મબળ અને સકારાત્મકતા ધરાવતા હોવા જોઇએ નહીકે ઉદાસ અને નિસ્તેજ. વાસ્તુશાસ્ત્ર તમારા આસપાસના વાતાવરણ દ્વારા તમને મદદ કરી શકે છે.
નોકરી ગુમાવ્યા પછી હતાશામાંથી બહાર આવવાનાં માર્ગો અને વાસ્તું તેમાં કેવીરીતે મદદ કરી શકે છે.
1. નોકરી ગુમાવ્યા પછી તે થોડોક સમય નવરા રહેવા માટે અથવા તમારો રોજગાર તાત્કાલિક શરુ કરવા માટે સારું છે. મિત્ર અને તમારા જીવનસાથીમાં વિશ્વાસ રાખો અને તેમની સલાહો લો.
2. તમારી ખર્ચની આદતો પર કાપ મુકો.
3. જ્યાંસુધી તમારો રોજગાર મળે નહી ત્યાં સુધી કેટલાક શોખોમાં તમારી જાતને વ્યસ્ત રાખો. કસરત કરવાનું શરૂ કરો. આળસુ થઇને બેસી ન રહેશો.
4. શક્ય નોકરીની જગ્યાઓ જાણવા માટે નેટવર્કીંગ સારો માર્ગ છે. તમારા જુનાં સહકર્મચારીઓને ફોન કરો અથવા યોગ્ય નોકરી શોધવા માટે તમારા મિત્રોની પુછપરછ કરો.
5. મુખ્ય પ્રવેશ દ્વારની દિશા અને સ્થાન પણ અગત્યનું છે, મુખ્ય પ્રવેશ દ્વારા ગંદકી મુક્ત હોય તે વધુ અગત્યનું છે. પ્રવેશ દ્વારને મોકળાશ વાળું રાખો અને તમારે કોઇ અડચણો રાખવી જોઇએ નહી.
6. તમારો બેડરૂમ એવુ સ્થાન છે જ્યાં તમે 8 -10 કલાકો રોજ પસાર કરો છો અને તમારી માનસિક સ્થિતિ પર તે ખુબ અસર કરે છે. તમારો બેડરૂમ સાચી દિશામાં છે કે નહી તે સમજવા માટે સરલ વાસ્તુ પર અમારા નિષ્ણાતોની સલાહ લો. ( જો નથી, તો ઉપાયો માટે પુછો). રૂમની દિશા, બેડનું સ્થાન અને ઉઘવાની દિશા તમારા શારીરિક અને આવેગિક સ્વાસ્થ્ય પર અસર કરે છે.
7. જો અરિસો તમારા બેડરૂમમાં ખોટા સ્થાને છે તો તે નકારાત્મકતા લાવી શકે છે અને નિષ્ફળતા આપી શકે છે. સામાન્ય ઉકેલ રાત્રે અરિસાને કપડાનાં ટુકડાથી કવર કરો.
8. ઘર અથવા એપાર્ટમેન્ટમાં કેટલાક ચોક્કસ સ્થાનોને “ફન પોર્શન” કહેવામાં આવે છે. જો આ વિભાગો કપાયેલ અથવા નબળા હોય તો તે વિચાર પ્રક્રિયા પર અસર કરે છે અને જુના અને ગુંચવણભર્યા વિચારો વધારે છે. આ સ્થાનની અસરોમાં ફેરફાર કરવાનાં ઘણાં ઉપાયો છે.
9. વાસ્તુ અનુસાર ઘરમાં હતાશાકારક વિભાગ પણ આવલો છે. આ વિભાગમાં તમરા પરિવારનો ફોટો રાખવાથી પરિવારમાં હતાશા અને ચિંતા ઉભી થાય છે.
કેટલાક સરળ માર્ગો દ્વારા વાસ્તુ નોકરી ગુમાવ્યા પછી તમારી હતાશાને દુર કરવામાં મદદ કરી શકે છે.