વાસ્તુ સુખાકારી વધારવામાં મદદ કરે છે, તે આપણા ભાગ્યનું અવરોધક નથી! એવું ચોકકસપણે માનવામાં આવે છે કે વાસ્તુ એ રચના અથવા માળખાનું વિજ્ઞાન છે જે સમૃદ્ધિનો સંકલ્પ છે. સાથે જ વાસ્તુ શાસ્ત્રનું સંપૂર્ણ પાલન કરવામાં આવતું નથી, ત્યારે તેમાં શું થોડી છૂટછાટો મળી શકે? ખાસ કરીને જ્યારે આપણામાંના મોટાભાગના લોકો એક ભવ્ય જીવનશૈલી જીવે છે અને વાસ્તુ સિદ્ધાંતો નો અમલ કર્યા વિના મુખ્યત્વે આર્કિટેક્ચરલ સ્ટ્રક્ચર્સ બનાવવામાં આવે છે. વળી, બાંધકામના નિયમોનું અવલોકન અને પાલન કરવું જોઈએ. આમ, આદર્શ વાસ્તુ પાલન વાસ્તવિક રીતે ખૂબ જ અસંભવિત છે! જો કે, આપણે તેમાં કેટલાક સમાધાન કરી શકીએ? ચોક્કસપણે હા.

વ્યવહારીક રીતે કહીએ તો, જો આપણે બાહ્ય ભાગોને સંશોધિત કરવામાં અસમર્થ છીએ, તો સુક્ષ્મ સ્તરે ધ્યાન આપવાનું છે. તે જે સૂચવે છે કે આંતરિક ભાગો પર ધ્યાન આપવાનું છે! કેટલીક દિશાનિર્દેશો વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક કરતા વધુ મહત્વપૂર્ણ હોય છે. તે બધા નકારાત્મક તત્વોને સંતુલિત કરવા વિશે છે.

વાસ્તુ ખરેખર કોઈ ધર્મ નથી, તે હકીકતમાં યોગ્ય જગ્યાએ વસ્તુઓની ગોઠવણીનું વિજ્ઞાન છે જેથી ખાતરી રહે કે તમામ પાંચ તત્વો સંતુલિત છે! અને જો તેમ થાય તો જીવનમાંથી સૌથી વધુ શક્ય લાભ મેળવે છે. જો ઘર, ફ્લેટ અથવા ઓફિસ આમાંથી કોઈપણ માર્ગદર્શિકાનો ભંગ થાય છે, તો તેને વાસ્તુ દોષ કહે છે.

વાસ્તુ દોષ (ખામી) સામાન્ય રીતે રૂમમાં, આંતરિક સુશોભનમાં ફેરફાર કરીને અને રૂમમાં રાખેલી વસ્તુઓની પુન: ગોઠવણી કરી નિયમનકારી અને ચૈતન્વિત સામગ્રીનો ઉપયોગ કરીને સુધારવામાં આવે છે. લગભગ દરેક વાસ્તુ દોષ (ખામી) નો ચોક્કસ વિશિષ્ટ ઉપાય હોય છે અને જો તેનું પૂરતું અનુકરણ કરવામાં આવે તો તે શાંતિ અને સમૃદ્ધિ લાવી શકે છે. વાસ્તુ દોષ (ખામી) નાબૂદ કરવાના કેટલાક ઉપાયો જે વ્યક્તિના રહેણાંક અથવા વ્યવસાયિક સ્થળોની મિલકતની અંદર હોઈ શકે છે.

Vastu-remidies

તોડફોડ વિના વાસ્તુ ઉપાયો

કોઈકે એવી રજૂઆત કરી હતી કે વાસ્તુમાં સુધાર કોઈપણ તોડફોડ કે બાંધકામોના નવીનીકરણ વિના સુધારણા કરવામાં આવશે, જેમકે, દિવાલો તોડી પાડવી, દરવાજા દૂર કરવા/ તેમાં, ફેરફાર કરવો વગેરે. શું ભારતીય વાસ્તુ શાસ્ત્રમાં શક્ય છે? શા માટે આ શબ્દ આટલો પ્રચલિત છે અને એ જોવામાં આવ્યું છે કે મોટાભાગના રહેવાસીઓ જે તોડફોડ વિના વાસ્તુ શાસ્ત્ર ભલામણોની હિમાયત કરે છે.

સામાન્ય રીતે લોકો આજે વાસ્તુ ઉપાયોનો અમલ કરે છે અને તરત જ સકારાત્મક પરિણામો મળે તેવી અપેક્ષા રાખે છે. પરંતુ તેવું હંમેશા ન પણ બને. અને એ નહીં ભૂલો કે, તેની અસર દેખાવા માટે થોડો સમય લાગી શકે છે. સકારાત્મક અથવા નકારાત્મક અસરોનો પણ સામનો કરવા માટે શાંત રહો. વાસ્તુ ઉપાયોના અમલ પછી વર્તન અને વલણ પણ પ્રારંભિક પરિણામો મેળવવાને અસર કરે છે.

ફેરફારો અને તોડફોડ વિના સરલ વાસ્તુ ઉપાય

સરલ વાસ્તુ એ એક અનુમાન આધારિત અનન્ય અને વૈજ્ઞાનિક વાસ્તુ ઉપાય અને ઉકેલ છે. જે ઘર, કુટુંબના વડાની જન્મ તારીખ અને જાતિ આધારિત કામ કરે છે. કુટુંબને જે બાબતોનો સામનો કરવો પડે છે તેની આગાહી કુટુંબના વડા, કુટુંબના સભ્યની વિગતો અને તે ઘરના જુદા જુદા તત્વો સાથે કેવી રીતે તે મેળ ખાય તેના આધારે કરવામાં આવશે. કોઈપણ પાલન ન કરવાથી પરિવારના વડા અથવા કુટુંબના સભ્યો અથવા આખા કુટુંબને સમસ્યા થાય છે.

સરલ વાસ્તુ આ બાબતોની આગાહી કરવામાં અને પરિવાર સાથે થયેલી સમજૂતી પ્રમાણે તપાસ કરે છે. જ્યારે કુટુંબ અમારી આગાહી સાથે સંમત થાય ત્યારે અમે કોઈ પણ ફેરફાર અને તોડફોડ કર્યા વિના સમસ્યાઓને ધ્યાનમાં લઈ વાસ્તુ ઉપાય આપીને સંપૂર્ણ પરામર્શ પ્રદાન કરીએ છીએ. સરલ વાસ્તુ સિદ્ધાંતોના અમલ પછી, તમારું નસીબ બદલાશે અને તે કુટુંબમાં એકબીજાની વચ્ચે વધુ સમજણ, પ્રેમ, શાંતિ અને સુમેળ સાથે જીવવા માટે તણાવ મુક્ત જીવન તરફ દોરી શકે છે.