દરેક વ્યક્તિ અને આપણી આસપાસની દરેક વસ્તુ ઉર્જાથી બનેલી છે. આ ઉર્જા આપણી ભાવનાઓ, મૂડ અને દિવસની સિદ્ધિઓને અસર કરે છે. તે આગળ જઈને નકારાત્મક ઉર્જા અને હકારાત્મક ઉર્જામાં વહેંચાય છે.

તમારી આસપાસ રહેલી નકારાત્મક ઉર્જાને તમારી જાતથી દૂર રાખવાનો પ્રયાસ કરવો જોઈએ. સરલ વાસ્તુ નકારાત્મક ઉર્જાના પ્રભાવને ઘટાડવા અથવા સંપૂર્ણપણે છૂટકારો મેળવવાની પ્રથાની હિમાયત કરે છે અને બદલામાં તમારી આજુબાજુમાં સકારાત્મક ઉર્જાને આકર્ષિત કરે છે. સકારાત્મક ઉર્જા તમારા ઘર દાખલ થાય તે માટે સરલ વાસ્તુ નિષ્ણાતો અપનાવવા માટે સરળ અને એકદમ યોગ્ય ફેરફાર અને બદલાવની સલાહ આપે છે. સરલ વાસ્તુ એક એવું મકાન બનાવવામાં માને છે, જ્યાં સકારાત્મક ઉર્જા સ્થાયી થઈ શકે છે અને શાંતિપૂર્ણ જીવન જીવવા માટે તેના રહેવાસીઓને સારા લાભ પ્રદાન કરે છે.

તે સાચું છે કે આપણે જે વાસ્તવિકતામાં જીવીએ છીએ તેનાથી છટકી શકતા નથી. આજુબાજુની ઘણી અરાજકતાથી કેટલીકવાર તેમાથી બહાર આવવું અને આપણા જીવનમાં સકારાત્મક ઉર્જાને આકર્ષિત કરવી મુશ્કેલ બને છે. પરંતુ સરલ વાસ્તુ વિભાવનાઓ અને સિદ્ધાંતોના યોગ્ય ઉપયોગથી, અમે ઘર અને કાર્યસ્થળ પર સકારાત્મક ઉર્જા આકર્ષિત કરી શકીશું અને નકારાત્મક ઉર્જા સ્ત્રોતોને ઘટાડવામાં સમર્થ થઈશું, જેથી તમે અને તમારા પરિવારના સભ્યો સ્વસ્થ, શાંતિપૂર્ણ અને સંતોષયુક્ત જીવન જીવી શકો.

સરલ વાસ્તુ સાચા અર્થમાં સરળ અને વૈજ્ઞાનિક ઉકેલો માનવતાના સામાન્ય કલ્યાણ માટે આ વિશ્વ તમારા જીવન માટે શ્રેષ્ઠ રહેવાનું સ્થાન બનાવવામાં મદદ કરવાના હેતુ સાથે પ્રદાન કરવામાં આવે છે. ડો. શ્રી ચંદ્રશેખર ગુરુજીની હમેશા એ ઉમદા ઇચ્છા રહી છે કે દરેક માણસે, કોઈ પણ ભેદભાવને ધ્યાનમાં લીધા વિના, જીવનમાં સરલ વાસ્તુના ફળનો આનંદ માણવો જોઈએ, તમામ સુખ, સમૃદ્ધિ, શાંતિ અને સુલેહ – શાંતિ પ્રાપ્ત કરવા કે જે આ વિશ્વમાં દરેક તેના જીવનકાળ દરમિયાન પ્રાપ્ત કરવાની ઇચ્છા રાખે છે.

સરલ વાસ્તુ તમારા શરીરની આસપાસના નકારાત્મક ઉર્જા સ્રોતને દૂર કરીને સકારાત્મક ઉર્જા સ્ત્રોતને વધારવામાં મદદ કરે છે.